યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા પશુધન અને પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ કરાયો
મોરબી : મોરબીમાં સામાજિક જાગૃતિ માટે સતત સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ કરી માલધારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ વિશ્વ માલધારી દિવસ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા પશુધન અને પર્યાવરણનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન ના યુવાનો દ્વારા વિશ્વ માલધારી દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિશ્વ માલધારી દિવસ નિમિત્તે માલધારી સમાજના યુવાનો દ્વારા ગાયમાતાનું પૂજન અને વૃક્ષારોપણ કરી પશુ તથા પર્યાવરણનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.સાથેસાથે માલઢોર પ્રત્ય વ્યવસાયીક ધોરણ જ નહિ પરંતુ એક સામાજિક ફરજ સમજી તેમનું જતન કરી સંવેદના વ્યકત કરી વિશ્વ્ સામે ગ્લોબલ કાલયમેન્ટ ચેન્જની જટિલ સમસ્યા નિવારવા માલધારી સમાજ પર્યાવણ પ્રત્ય જાગૃકતા કેળવી માલધારીયત પણું દાખવી વિશ્વ અને રાષ્ટ્રના નિર્માણમાં અગ્રેસર રહી કાર્ય કરવાની નેમ સાથે માલધારી દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...