મોરબી: શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ, રેલ્વે સ્ટેશન રોડ મોરબી દ્વારા મોરબીના એતિહાસિક અને પૌરાણિક શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિતે આગામી રવિવારે શ્રી ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ બુધવારે મહાશિવરાત્રી નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.
શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા તા. ૨૩ ને રવિવારે શ્રી ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ ખાતે તા. ૨૩ ને રવિવારે સાંજે ૭ કલાકે પ્રથમ મહાઆરતી બાદ શ્રી ભંડાર પ્રસાદ યોજાશે જેનો મોરબીના ધર્મપ્રેમી પરિવારોએ પ્રસાદનો લાભ લેવા મંદિરના સર્વે ટ્રસ્ટીઓ દ્વારા નિમંત્રણ પાઠવ્યું છેતે ઉપરાંત તા. ૨૬ ને બુધવારે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવમાં આવશે જેમાં બુધવારે સવારે ૫ કલાકે પ્રથમ સવારની પૂજા-આરતી, સવારે ૮ કલાકથી ભાંગ પ્રસાદ વિતરણ આખો દિવસ ચાલુ રહેશે બાદમાં સવારે દરકે મંદિરમાં ધજા આરોહણ, બપોરે ૪ : ૩૦ કલાકે શૃંગાર દર્શંન ખુલ્લા મુકવામાં આવશે સાંજે ૧૦૮ દીવડાની દીપમાલા સાથે મહાઆરતી, સાંજે ૭ : ૩૦ કલાકે ફરાળ પ્રસાદ વિતરણ, અને ચાર પહરની પૂજા/આરતી રાત્રે ૯ કલાકથી શરુ થશે અને સમગ્ર વિસ્તાર હર હર ભોલેનાથના નાદથી ગુંજી ઉઠશે
કાયદાનો ઉલ્લંઘન થતો જણાય તો મદદનીશ શ્રમ આયુક્તની કચેરીએ રૂબરૂ અથવા ૦૨૮૨૨ ૨૪૩૪૧૦ નંબર પર ફરિયાદ કરવી
બાળકો દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે અને તેમને યોગ્ય શિક્ષણ, આરોગ્ય, સલામતી અને તેમનો સમગ્ર વિકાસએ સૌથી અગત્યની પ્રાથમિકતા છે. બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ ની જોગવાઈઓ જે ૧૪...
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે, મૂલ્ય શિક્ષણ માટે જાણીતી છે, વિદ્યાર્થીઓમાં સંસ્કારનું ઘડતર થાય એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે અને વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીનીઓનું સન્માન પણ કરવામાં આવે છે જેથી એમનો ઉત્સાહ જળવાઈ રહે અને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે.
આવું જ પ્રેરણા...
મોરબી વાંકાનેર દરવાજા પાસે આવેલ પાણીના ટાંકા પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલ પાણીના ટાંકા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૬૯૬...