મોરબીના વિદ્યુતનગરમાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું

મોરબીના સામાકાંઠે આવેલ વિદ્યુતનગરમાં રહેતા ૫૦ વર્ષીય પ્રોઢે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, ત્યારે પોલીસે મૃત્યુ અંગેની નોંધ કરી તપાસની ગતિવિધિ તેજ કરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી-૨ વિદ્યુત નગરમાં રહેતા રાજુભાઇ મેરાભાઇ ધંધુકીયા ઉવ.૫૦એ કોઇપણ કારણોસર પોતાના ઘરે ગળેફાસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે પરિવારજનો મૃતક રાજુભાઈની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા બી ડિવિઝન પોલીસે સમગ્ર મૃત્યુના બનાવમાં અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img