ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. આજથી બરોબર 45 વર્ષ પહેલા એક પક્ષની સ્થાપના થઇ આજે તે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ચુકી છે. આજે ભાજપના સ્થાપના દિવસને લઈ રાજ્યભરમાં ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી હતી.
આ તરફ ભારતીય જનતા પાર્ટી ના 45 માં સ્થાપના દિવસ નિમિત્તે મોરબી જિલ્લા યુવા ભાજપ પુર્વ ઉપપ્રમુખ તથા હાલ બુથ નંબર 172 ઓટાળાના પ્રમુખ બેચરભાઈ ઘોડાસરા દ્વારા પોતાના ઘર પર પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ બુથમાં છોકરાઓને ક્રિકેટ રમવા માટેની કીટ અર્પણ કરવામાં આવી તેમજ વાડી વિસ્તારમાં મજુરોના ઝુંપડા પર ભાજપના જંડા લગાવીને બાળકોને વેફર તેમજ આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...