મોરબીના શક્ત શનાળા ગામના તળાવમાં નાવા જતા ડૂબી જતાં આઠ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર નજીક રહેતા ગોપાલભાઈ કાનાણીનો ૦૮ વર્ષનો પુત્ર અમીતભાઇ શનાળા ગામના તળાવમાં નાવા જતા ડૂબી જતાં ૧૦૮ મારફતે સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
