ટંકારાના હોટલ કમફર્ટ જુગાર કાંડનુ ભૂત ફરી ધૂણ્યું
ભાગે એ ભાયડા! ઉચ્ચ અધિકારીના તપેલા ચડી જવાની પોલીસ બેડામાં ચર્ચા!
મોરબી જિલ્લા ના ટંકારા ના લજાઈ ખાતે આવેલ કમફર્ટ હોટલ ના ચકચારી જુગાર કાંડે આખા ગુજરાત માં ચર્ચા જગાવી છે, હોટલ કમફર્ટ મા હાઈ પ્રોફાઇલ જુગાર ધમધમી રહ્યું હતું જેના ઇનપુટ ત્યારના ટંકારા પી આઈ ગોહિલ ને મળ્યા જેને જુગારધામ ઉપર રેડ કરી હતી.
આ હાઈ પ્રોફાઇલ જુગાર ની રેડ દરમ્યાન પી આઈ ગોહિલ દ્વારા મોટો તોડ કર્યો અને આરોપીના નામ સાથે પણ ચેડા કર્યા હતા, આરોપીઓ પાસે જુગાર ની રકમ મંગાવી કેસ કરી મોટો તોડ કર્યો હતો.
એક પી આઈ દ્વારા આવડા મોટા તોડ એકલા હાથે શકાય નથી, કેમ કે સ્ટેટ મોનીટરીંગ સેલ ની વાત તો દૂર રહી પણ ઉચ્ચ અધિકારીઓ જ સત્તા નું હથિયાર વાપરી બેભાન નું ઇન્જેક્શન આપી ચરબી કાઢી લેવાનું ઓપરેશન કરી નાખે
આ કેસમાં શરૂવાત માં પી આઈ ની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા, આરોપીઓ પણ ઠેઠ ગાંધીનગર સુધી ની પહોંચ ધરાવતા હોવાથી રાજ્ય પોલીસ વડાએ ખુદ રસ લીધો બાદ માં અચાનક જ સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ ટંકારા આવી પહોંચી હતી અને કમફર્ટ હોટલ ખાતે જ રેડમાં સામેલ તમામ પોલીસ અધિકારીઓ ના નિવેદન લીધા હતા.
ત્યાર બાદ અચાનક સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પી આઈ ગોહિલ અને હેડ કોસ્ટબેલ મહિપતસિંહ સોલંકી ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી, ગુજરાત માં જુગાર રેડ માં પહેલીવાર આવડી મોટી કાર્યવાહી થઈ, ફરિયાદ થતા જ પી આઈ ગોહિલ અને હેડ કોસ્ટબેલ સોલંકી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
આ દરમ્યાન નિર્લિપ્ત રાય નો તાપ ન જીરવી સકતા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે થી પોલીસ સમક્ષ હાજર થયા હતા, અને ત્યાર બાદ થોડા મહિના પછી સ્ટેટ મોનીટરીંગ ની ટીમ દ્વારા પી આઈ ગોહિલ ની કચ્છ ખાતે થી ધરપકડ કરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા જયા તેની પૂછપરછ કરવામાં આવી.
પી આઈ ગોહિલ ની પૂછપરછ ખુદ નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવી જેમાં ગોહિલ રડી પડ્યા હતા અને તોડ કાંડ બાબતે તમામ વટાણા વેરી દીધા હતા જેમાં તોડકાંડમા આઈ પી એસ અધિકારીની પણ મહત્વ ની ભૂમિકા હોવાના સમાચાર વહેતા થયા હતા અને અમુક કબૂલાત સાથે પી આઈ ગોહિલ ને કેસ ની તપાસ કરી રહેલા લીંબડી DYSP રબારી ને સોંપવામાં આવ્યા
લીંબડી dysp રબારી દ્વારા પી આઈ ગોહિલ ને કોર્ટ માં રજૂ કરતા કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે બીજી બાજુ રિમાન્ડ મંજૂર થતા જ મોરબીના dysp સમીર સારડા રજા ઉપર ઉતરી ગયા હતા, પોલીસ બેડા માં એવી પણ ચર્ચા ચાલે છે કે પી.આઈ ગોહિલ ના રિમાન્ડ ના આગલા દિવસે dysp સમીર સારડા ના પુત્ર ના બર્થ ડે પાર્ટી માં કિલ્લોલ કરતા હતા અને અચાનક આંતરડામાં દુખાવો થઈ ગયો જે ખુબજ અચરજ પમાડે તેવું છે.
કારણ કે પી આઈ ગોહિલ પાસે તેના વડીલો પાર્જીત મકાનમાંથી ફકત ૧૦ લાખ રૂપિયા ની જ રિકવરી કરવામાં આવી બાકીના રૂપિયા વપરાઈ ગયા તે વાત લોકો માટે છે પણ હકીકતમાં અંદર કંઈક જુદુજ રંધાઈ રહ્યું હોવાની ગંધ આવી રહી છે, પી આઈ દ્વારા ખાલી ૧૦ લાખ રિકવર જ નહીં પણ બાકીના રૂપિયા કીયા ગયા તેની પણ જાહકારી આપી હોવી જોઈ.
હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ સમગ્ર તોડકાંડમા રૂપિયાના કેરિયર બોય તરીકે એક કથિત પત્રકાર ની પણ ભૂમિકા શંકાસ્પદ છે, આ સમગ્ર અંધારા ઉપર પ્રકાશ આવનાર દિવસોમાં જ ખબર પડશે
ટંકારા તોડકાંડ માંથી એકવાત તો શીખવા જેવી છે કે પોતાને શિકારી માનતા શાતિર ગમે ત્યારે શિકાર પણ બની શકે છે દર વખતે સાપ અને નોરિયાની લડાઈમાં નોરીયો જીતે તે જરૂરી નથી.