Tuesday, June 17, 2025

શ્રી જલારામ ધામ-મોરબી ખાતે સર્વ પિતૃ મોક્ષાર્થે 11 પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી -ભાવેશ્વરી માતાજી- રામધન આશ્રમ,મોરબી) ના વ્યાસાસને ૧૧ પોથી ભાગવત્ સપ્તાહ યોજાશે.

શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામધામ-મોરબી ખાતે એ.સી. હોલ માં આગામી તા.૧૪-૯-૨૦૨૫ ભાદરવા વદ આઠમ થી ૨૦-૯-૨૦૨૫ ભાદરવા વદ ચૌદસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ્ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે, જેમાં વ્યાસાસને શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રતનેશ્વરીદેવીજી (ગુરુ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ -મોરબી) બિરાજમાન થશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં ૧ મુખ્ય પોથી યજમાન તથા ૧૦ અન્ય યજમાન સહીત કુલ ૧૧ પોથી યજમાન પરિવાર જોડાશે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ્ દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવો ની ઉજવણી ઉપરાંત દરરોજ બપોરે ફરાળ પ્રસાદ તેમજ સાંજે મહાપ્રસાદ યોજાશે. વહેલા તે પહેલા ના ધોરણે માત્ર ૧૧ પોથી જ નોંધવાની હોય પોથી નોંધાવવા માટે ભાવનાબેન અનિલભાઈ સોમૈયા- મો.૮૫૧૧૦ ૬૦૦૬૬ પર સંપર્ક કરવો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર