મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ વાઇડ એન્ગલ સેનેટરી કારખાનામાં ઈલેક્ટ્રીક શોક લાગતા સગીરનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અરવિદભાઇ સંતોષભાઇ સિસોદીયા (ઉ.વ.૧૪) રહે.રંગપર ગામની સીમ, વાઇડએન્ગલ સેનેટરી વેર વાળાને વાઇડએન્ગલ સેનેટરી વેરમા શોક લાગતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા ફરજ પરનાતબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
