69 વર્ષના વૃદ્ધાના બ્રેઈન સ્ટ્રોક જેવા અતિ ગંભીર રોગની સફળતા પૂર્વક સારવાર કરતા આયુષ હૉસ્પિટલમાં ડૉ. સત્યજિતસિંહ જાડેજા
14 જૂન 2025, ના રોજ એક 69 વર્ષના વૃદ્ધા બેભાન અવશસ્થા આયુષ હોસ્પિટલ, મોરબી ખાતે ઇમરજન્સી વિભાગમાં આવ્યા, જ્યાં ડૉ.સત્યજિતસિંહજાડેજા દ્વારા ઉંડાણમાં તપાસ કરતા જણાયું કે વૃદ્ધાને પેરાલીસીસનો હુમલો આવેલો છે કે જેના લીધે બેભાન થવુ, બોલી ન શકવુ, જમણી બાજુ નું આખુ અંગ ખોટુ પડી જવુ, જમણી બાજુનો હાથ અને પગ સંપૂર્ણ રીતે ખોટા પડી જવા, આવી બધી તકલીફો હતી.
વૃદ્ધાની સારવાર સફળતાપુર્વક ડોક્ટર દ્વારા કરવામાં આવતા વૃદ્ધા હવે ભાનમા આવી ગયા સંપૂર્ણપણે બોલવા માટેનો અવાજ પાછો આવી ગયો અને વૃદ્ધા હવે એમનો જમણો હાથ પણ ઊંચો કરી શકે છે. સાથે માત્ર 10 દિવસ પછી ના ફોલો અપ માં આટલી સારી રીકવરી જોતા વૃદ્ધા અને એમના સગાઓ દ્વારાં હોસ્પિટલ અને ડોક્ટરનો ખૂબ આભાર માનવમાં આવ્યો છે.