મોરબીમાં 1 જુલાઈએ વિના મૂલ્યે રોપા વિતરણ કરવામાં આવશે
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા હરિયાળું મોરબી હરિયાળું ગુજરાત અંતર્ગત મોરબીના શનાળા રોડ પર ઉમીયા સર્કલ પાસે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ ૦૧-૦૭-૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૦૯ કલાકે વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવશે.
મોરબી શહેરના તમામ પર્યાવરણ પ્રેમી જનતાને જણાવવાનું કે વધુ વૃક્ષો વાવી વાતાવરણમાં વધુ ઓક્સિજન , ઉનાળામાં પશુ પક્ષીઓને શીતળ છાંયડો મળે અને વધુ વરસાદ લાવો સુત્રને સાર્થક કરવા પર્યાવરણ પ્રેમી લોકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે ફળાવ તેમજ છાંયડો આપતા વૃક્ષના રોપા વિતરણ વહેલા તે પહેલા ના ધોરણે રોપા વિતરણ કરવામાં આવશે.
આ પર્યાવરણ પ્રોજેક્ટ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના ૨૦૨૫/૨૬ વર્ષ ના પ્રેસિડેન્ટ લા. હરખજીભાઈ ટી સુવારિયા ના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે જેમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેવાભાવી સભ્યો તથા લાયન્સ ઇન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ) ના પાસ્ટ ફસ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર રમેશભાઈ રૂપાલા અને ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો પણ હાજર રહીને રોપાઓ વિતરણ કરવામાં સહભાગી થશે.