આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે..

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર નો પ્રારંભ થશે.બજેટ તો ધણા આવ્યા પણ શું આ બજેટથી ગુજરાતના આમ આદમીની આમદની કેટલી વધશે તે પણ મોટો સવાલ છે.

રાજયપાલ આચાર્ય દેવવ્રત ના સંબોધન સાથે વિધાનસભાના બજેટસત્રની શરૂઆત થશે. અને બપોરે 12 વાગ્યે રાજ્યપાલના સંબોધન પછી 15 મિનિટના વિરામ બાદ સભાગૃહની બેઠક મળશે. અને બાદમાં લતા મંગેશનક અને વિધાનસભાના દિવંગતોને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. જેના પછી વિધેયકો રજૂ કરવામાં આવશે.જેમા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા 3 માર્ચે રજૂ કરવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ સત્ર મહત્વનું છે.કારણ કે વિપક્ષ બેરોજગારી, પેપરલીક, કાયદા વ્યવસ્થા ઉપરાંત અન્ય મુદ્દાઓને લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે આ બજેટમાં રાજ્ય સરકાર  મહત્તવના મુદ્દાઓ પર ભાર આપશે જેમાં શિક્ષણ,રોજગારી,ખેડૂતો,આરોગ્ય જેવા મુદ્દાઓની મોટી જાહેરાતો કરી શકે છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img