મોરબી : મોરબી જિલ્લા માં કોરોના નાં કેસ ની રફતાર દિનપ્રતિદિન ઘટતાં આજ રોજ એક પણ નવો કેસ ન નોંધાતા મોરબી જિલ્લો કોરોના મુક્ત થયા નું જાણવા મળેલ છે આજે મોરબી જિલ્લો એક માત્ર એક્ટિવ કેસ પણ આજે રિકવર થઈ જતા હવે મોરબી જિલ્લો કોરોનાથી સંપૂર્ણ મુક્ત જાહેર કરી દેવામાં આવ્યો છે.
મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડ્યા બાદ ત્રીજી લહેરમાં પણ દૈનિક કેસોનો આંકડો 350ને પાર પહોંચ્યો હતો. જો કે ત્યારબાદ દૈનિક કેસનો ગ્રાફ સડસડાટ નીચે પણ આવી ગયો હતો. છેલ્લા ઘણા સમયથી કોરોના કેસ સિંગલ ડિજિટમાં પહોંચ્યા હતા. ત્યારબાદ છેલ્લા થોડા દિવસોથી એક પણ કેસ નોંધાતો ન હતો. સામે રિકવર દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી હતી.ગઇકાલની સ્થિતિએ મોરબી જિલ્લામાં એક માત્ર એક્ટિવ કેસ વધ્યો હતો. ત્યારે આજે આરોગ્ય વિભાગે 517 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી કોઈને કોરોના પોઝિટિવ આવ્યો ન હતો. ઉપરાંત જે એક્ટિવ કેસ હતો તે પણ આજે રિકવર થઈ ગયો છે એટલે હવે મોરબી જિલ્લો કોરોના મુક્ત બન્યો છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...