મોરબી : મોરબી નાં અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજ ની અનેક સંસ્થાઓ માં પોતાની તન મન ધન થી સેવા આપનાર અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા નાં હસ્તે અંબાજી ખાતે આયોજિત દેવી ભાગવત પુરાણ કથા દરમ્યાન ઉમિયા માતાના ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મળતી વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સંત ભાણદેવજીના વ્યાસપીઠ સ્થાને દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન ભગવતી શ્રી ઉમિયા માતાજી, હનુમાનચાલીસા અને શ્રી મંગલ રામકથા એમ ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
જેમાં ભગવતી શ્રી ઉમિયા માતાજીના પુસ્તકનું વિમોચન મોરબી સ્થિત સન હાર્ટ ગ્રુપના સ્થાપક, લક્ષચંડી યજ્ઞના મુખ્ય યજમાન તથા ઊંઝાના ઉમિયા મંદિરના ટ્રસ્ટી ગોવિંદભાઈ વરમોરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ઊંઝાના ઉમિયા મંદિરના વરિષ્ઠ આગેવાન મણીબાપા સહિતના હોદેદારો, દાતા બાબુભાઈ સહિતના અગ્રણીઓ અને બહોળા શ્રોતાવર્ગની ઉપસ્થિત રહ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...