મોરબીના રવાપર-ઘુનડા પર આવેલ શક્તિ ટાઉનશીપ સામે સાહેબ પેલેસ ખાતે રાસંગપરનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સાહેબ પેલેસમાં રહેતા મનજીભાઈ હરજીભાઈ આદ્રોજા, મયુરભાઈ આદ્રોજા, તેમજ આદ્રોજા પરિવાર દ્વારા આગામી તા.૧૬-૦૩-૨૦૨૨ને બુધવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રાસંગપર રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરી રામદેવપીરના જીવન ચરિત્ર રજુ કરવામાં આવશે. રામામંડળ નિહાળવા સૌ ધર્મપ્રેમી જાહેર જનતાને આયોજક મનજીભાઈ આદ્રોજા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...