શહીદો માટે ફંડ એકત્રીક કરી જોધપર ગામની બહેનોએ ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ
દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર વિર જવાનોના પરિવારને મદદ કરવા માટે મોરબી જીલ્લો હમેંશા તત્પર રહ્યો છે. જેમાં મોરબીના યુવા ઉદ્યોગપતિ અને દેશભક્ત અજય લોરીયા દ્વારા અગાઉ પણ શહિદ જવાનોના પરિવારની મદદ માટે લાખો રૂપિયાનું ફંડ એકત્રિત કરી જવાનોના પરિવારોને રૂબરૂ મળીને આપવામાં આવ્યું છે. ત્યારે મોરબીના જોધપર ગામની બહેનો શહીદ પરિવારની મદદ માટે આગળ આવી છે.
જોધપર ગામે હિરલબેન બરાસરા તેમજ તેમની સહેલીઓ દ્વારા શહિદ જવાનના પરિવારની મદદ માટે રૂ.12620 જેટલું ફંડ એકત્રિત કર્યું હતું. જે ફંડ બહેનોએ સામાજીક કાર્યકર અજયભાઈ લોરીયાને અર્પણ કર્યું છે. અજયભાઈ લોરિયા દ્વારા જમ્મુ કાશ્મીરમાં પૂંછમા આતંકી સાથેની અથડામણમાં શહિદ થયેલ હરિશસિંહ પરમાર તથા જયદિપસિંહ સોલંકીના બંન્ને શહિદ પરિવારને 350,000 જેટલી રકમ અર્પણ કરી હતી. ત્યારે અત્યાર સુધીમાં 788620 જેટલું ફંડ આવનાર દિવસોમાં શહિદ જવાનોના પરિવારોને રૂબરૂ મળીને આપવામાં આવશે તેમ અજયભાઇ લોરિયા દ્વારા જણાવાયું હતું.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...