ટંકારા તાલુકાના વાઘગઢ ગામે હનુમાનજી જયંતી નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં હનુમાનજી મંદિરે પૂજા અર્ચના તથા આરતી કરવામાં આવી હતી અને વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા.
વાઘગઢ ગામની શેરીઓના ભારતવર્ષના મહાપુરૂષો ઉપરથી મહર્ષિ દયાનંદ શેરી, સ્વામી વિવેકાનંદ શેરી વગેરે નામકરણ કરવામાં આવ્યા હતા તેમજ ગામને આર્થિક યોગદાન આપનાર તથા સતત ગામને સ્વચ્છ અને હરિયાળુ બનાવવામાં ખેવના ધરાવતા વડીલો, બહેનો અને માતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, છેલ્લા પંદર દિવસથી આખા ગામને રંગરોગાન કરવા આવી રહ્યું હતું જે સામુહિક કાર્યને ગામ આખાયે હોંશે હોંશે વધાવીને ગામને વ્હાઈટ હાઉસ જેવું બનાવે દીધું છે. આ વ્હાઈટ હાઉસ બનાવી દેવાની તમામ જવાબદારી મહેન્દ્રભાઈ ભીખાભાઈ બારૈયાએ લીધી હતી અને રંગરોગાન કરવાનો તમામ ખર્ચ આર્ય વિદ્યાલયના પ્રમુખ માવજીભાઈ અમરશીભાઈ દલસાણીયાએ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત હનુમાન જયંતિ નિમિત્તે આખા ગામનો મહાપ્રસાદ સવજીભાઈ દેવશીભાઈ બારૈયા દ્વારા યોજવામાં આવ્યો હતો તેમજ ભારતના મહાપુરૂષો પરથી શેરીઓના નામ રાખવા પાછળનો તમામ ખર્ચ કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા દ્રારા કરવામાં આવ્યો હતો.
આ કાર્યને બિરદાવવા માટે વાઘગઢ ગ્રામ પંચાયતના બિનહરીફ યુવા સરપંચ વલ્લભભાઈ બારૈયા, ઉપસરપંચ જયેશભાઈ અને પંચાયત બોડી તથા તલાટી મંત્રી શીતલબેન દ્રારા સહયોગ આપનાર અને શ્રમદાન કરનાર તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ, જગદીશભાઈ, દેવેન્દ્રભાઈ ફેફર અને રમણિકભાઈ વડાવીયા દ્રારા કરવામાં આવ્યું હતું.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...