ગરીબ પરિવાર ના બાળકો કુપોષણ મુક્ત થાય અને તેમને પોષણ મળે તેવાં ઉમદા હેતુ થી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના છેવાડાના વિસ્તારના બાળકોને પણ કુપોષણ મુક્ત બનાવવા અભિયાન ચલાવવા દરેક જિલ્લામાં સુચના આપી છે અને રાજ્યભરમાં આં અંગે કાર્યક્રમ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
ત્યારે આજે મોરબી જિલ્લામાં પણ આ અભિયાનનો પ્રારભ થયો છે રાજ્ય મંત્રી મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માળિયા ખાતે આવેલ સરકારી હોસ્પીટલમાં બાળકો તેમજ સગર્ભા માતાને પોષણયુકત આહાર ની કીટનું વિતરણ કર્યું હતું. મોરબી જીલ્લામાં હાલ 0થી 5 વર્ષના 93 હજારથી વધુ બાળકો છે જેમાંથી 3100 જેટલા બાળકો સરકારી ચોપડે કુપોષિત નોધાયા છે.
માળિયા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કેપીએમ નરેન્દ્ર મોદી દ્વારા છેવાડાના માનવીની ચિંતા કરી ગરીબ પરિવારના બાળકો કુપોષણ મુક્ત થાય અને આ બાળકો પણ પોષણ મેળવે તેવા પ્રયાસ કરવા અપીલ કરી છે ત્યારે કેન્આદ્જેર અને રાજ્ય સરકારના સહયોગથી મોરબી જીલ્લામાં સુપોષણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે અને તેનો પ્રારંભ માળિયા સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યો છે. માળિયા સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી જિલ્લા પંચાયત તેમજ માળિયા નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો અને 40 જેટલા બાળકોને દતક લઇ તેમના માતાને પોષણકીટ આપવામાં આવી છે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...