મોરબી : ગુજરાત રાજ્ય ની સ્થાપના તા.1લી મેં 1960ના રોજ રવિ શંકર મહારાજ ના હસ્તે થઇ હતી ગુજરાત ની આજ એક આગવી અસ્મિતા છે અને ગુજરાત ની પ્રજા ની એક આગવી ખુમારી છે
એટલે ગુજરાત માં ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી માં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વોર્ડ નંબર 11મા ટિફિન બેઠક યોજાઈ હતી. જેમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કણજારીયા, કે.કે.પરમાર, નીરજભાઈ ભટ્ટ, ચંપકસિંહ રાણા તથા વોર્ડ નંબર 11ના કાઉન્સિલરો અને કાર્યકર્તા મિત્રો વગેરે મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયાના લક્ષ્મણ ફાર્મ પર ટિફિન બેઠકમાં હાજર રહ્યા હતા. ટિફિન બેઠકના ઇન્ચાર્જ, મોરબી શહેર ઉપાધ્યક્ષ વનરાજસિંહ જાડેજા તથા મોરબી શહેર મંત્રી દીપકભાઈ સોમૈયા પણ ઉપસ્થિત હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...