હળવદ : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના વિવિધ પ્રજાકીય પ્રતિનિધિઓના પ્રશ્નો અને ફરિયાદોના નિવારણ માટે પ્રભારીમંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને બુધવારે હળવદ એપીએમસી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાના પંચાયતના પ્રતિનિધિઓ, સરપંચો તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે વિશદ્દ ચર્ચા હાથ ધરીને અધિકારીઓને પ્રશ્નોનું તાત્કાલીક નિવારણ લાવવા પ્રભારીમંત્રી દેવાભાઇ માલમ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.
પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં સમયસર મળી રહે તે માટે આગોતરા આયોજન સાથે જિલ્લા પ્રભારીમંત્રી દેવાભાઇ માલમે સંબંધિત વિભાગોના વડાઓને ઉનાળાની સીઝનમાં નાગરિકોને પીવાના પાણીની સમસ્યાઓ ઊભી ન થાય તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઇ રહે તે માટે તમામ વિભાગો સંકલનમાં રહીને કામગીરી કરે તે માટે યોગ્ય સુચનો કર્યા હતા. આ સાથે જ હળવદ તાલુકા તેમજ નગરપાલિકા વિસ્તારના રોડ, રસ્તા, લાઇટ, ખેતીવાડી વીજ કનેક્શન, પાણી, પશુ દવાખાના, સિંચાઇના પાણી સહિત પ્રજાને નાના મોટા કનડતા પ્રશ્નોને લઈને પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે પ્રભારીમંત્રી દેવાભાઇ માલમે યોગ્ય સુચનો અને ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, હળવદ મતવિસ્તારના ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી રણછોડભાઇ દલવાડી, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે ભગદેવ, જિલ્લા પોલીસ વડા (ઈ.) અતુલ બંસલ, કાર્યપાલક ઇજનેર એ.એન. ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, હળવદ પ્રાંત અધિકારી એમ.એ. ઝાલા સહિત પીજીવીસીએલ, સિંચાઇ, પાણી પુરવઠા વિભાગના સંબંધિત અધિકારીઓએ આ બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા કરી હતી.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...