મોરબી: મોરબીમાં જાહેર રોડ ઉપર ટ્રક ટેલરનુ પાછળના જોટાનુ એક વ્હીલ નીકળી મોટરસાયકલ સાથે અથડાતા બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે બાઈક સવારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવા મકનસર ગામે રહેતા અશોકભાઇ બહાદુરભાઈ સારલા (ઉ.વ.૪૪) એ આરોપી ટ્રક ટેલર નં – GJ-12-AZ-6162 વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૨-૧૦-૨૦૨૨ ના રોજ સવારના સાડા દશેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક ટેઇલર નંબર- GJ-12-AZ-6161 વાળુ જાહેર રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવતા તે ટેઇલરનુ ખાલી સાઇડના પાછળના જોટાનુ એક ટાયર ફાટતા તે ટાયર નીકળી ફરીયાદીના મોટરસાયકલ નંબર- GJ-36-AB-3596 વાળા સાથે અથડાતા ફરીયાદી તથા તેના સાથે દેવાભાઇ મોટરસાઇકલ સહીત નીચે રોડ ઉપર પડી જતા ફરીયાદી જમણા પગમાં સાથળના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા સાહેદ દેવાભાઇને સામાન્ય છોલછાલ જેવી ઇજા પહોંચાડી પોતાના હવાલાવાળુ ટેઇલર લઇ નાશી ગયો હતો. આ બનાવ અંગે અશોકભાઈએ આરોપી ટ્રક ટેલરના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એ. કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...