મોરબી શહેરમાં આજે વાજતે ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ શોભાયાત્રા યોજી ડીજે અને ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પાલિકા દ્વારા ચાર સ્થળોએ મૂર્તિ કલેક્શન કર્યું હતું અને પાલિકાના વાહનમાં જ ગણેશ વિસર્જન માટે મૂર્તિઓ લઇ જવામાં આવી હતી મોરબીના મચ્છુ ૩ ડેમ પાસે જૂની આરટીઓ કચેરી પાસેની મચ્છુ નદીમાં ગણેશ વિસર્જનનું આયોજન કરાયું હતું