ગામના યુવાનોએ બોઈલરમાં ગેરકાયદે પ્લાસ્ટીક વેસ્ટ સળગાવવામાં આવતું હોવાનો પર્દાફાશ કર્યો
વિવેકાનંદ યુવા સમિતિના સભ્યો બીજા જ દિવસે ગાંધીનગર પહોંચ્યા
મોરબી તાલુકાના ઘૂંટુ ગામમાં છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી રાત્રીના સમયે પ્લાસ્ટીક બળવાની એકદમ તીવ્ર વાસ આવતી હોય ગ્રામજનોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. આ બાબતે ગામના જાગૃત લોકો દ્વારા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની સ્થાનિક મોરબી કચેરીના અધિકારીઓને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી જેથી અંતે ઘુંટુ ગામની વિવેકાનંદ યુવા સમિતિના સભ્યોએ કેનાલ કાંઠે આવેલ રોલ્ટાસ પેપરમિલમાં તપાસ કરતા અહીં જીપીસીબીના નિયમોનો ઉલાળીયો કરીને પ્લાસ્ટીક વેસ્ટ સળગાવવામાં આવતું હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.
મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક કેનાલ કાંઠે આવેલ રોલ્ટાસ પેપરમિલમાંથી પ્લાસ્ટીક બળવાની તીવ્ર વાસ આવતી હોય ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. અનેક રજૂઆતો બાદ પણ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં અંતે ગત તા. ૧૬ ઓગસ્ટના રોજ રાત્રીના સમયે વિવેકાનંદ યુવા સમિતિના સભ્યો આ પેપરમીલ ખાતે દોડી ગયા હતા અને ત્યાં જઈને તપાસ કરવામાં આવતા આ રોલ્ટાસ પેપરમિલ દ્વારા ગેરકાયદેસર રીતે પ્લાસ્ટીક વેસ્ટ બોઈલરમાં સળગાવવામાં આવતો હતો જેના કારણે ચીમનીમાંથી એકદમ ઘટ્ટ ધુમાડો પણ નીકળતો હતો. આ સમગ્ર ઘટનાક્રમના વિડીયો અને ફોટો યુવાનોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા ત્યારબાદ જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને માત્ર નોટીસ આપીને સંતોષ માની લીધો હતો.
આ અંગે સંતોષકારક કાર્યવાહી ન થઈ હોવાથી વિવેકાનંદ યુવા સમિતિના સભ્યોએ બીજા જ દિવસે એટલે કે ગઈકાલે ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેન આર. બી. બારડ અને સભ્ય સચિવ ડી. એમ. ઠાકરને રૂબરૂ મળીને ફોટો વિડિયો અને તમામ લીટરેચર આ બંને અધિકારીઓને સોંપીને લેખિત રજૂઆત કરી હતી ત્યારબાદ ચેરમેન બારડે આ પેપરમીલ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો જેથી આ અંગે સંતોષકારક કાર્યવાહી થશે તેવી ગામના યુવાનોમાં આશા સેવાઈ રહી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...