Thursday, April 25, 2024

Bharat Bandh : આવતીકાલે ભારત બંધ, જાણો માર્ગ અને રેલને કેટલી અસર થશે !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

આવતીકાલે દેશભરમાં ભારત બંધની ઘોષણા કરવામાં આવી છે. દેશભરના ખેડુતો આ ભારત બંધમાં જોડાશે. આ સમય દરમિયાન દુકાનો, બજારો અને તમામ વ્યવસાયિક મથકો બંધ રહેશે. શુક્રવાર (26 માર્ચ) ના રોજ સવારે 6 થી સાંજે 6 સુધી ભારત બંધ રહેશે. ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને પાછો ખેંચી લેવા મક્કમ રહેલા ખેડુતો આવતીકાલે ભારત બંધ રાખશે. આ સમય દરમિયાન દુકાનો, બજારો, ધંધાકીય સંસ્થાઓ વગેરેને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે વેપારી સંગઠનો તેમાં સંપૂર્ણ ભાગીદારી આપશે કે કેમ તે અંગે શંકા છે. વેપારીઓ આ ભારત બંધમાં જોડાશે કે નહીં તે તેમના પર છે.

શું બંધ રહેશે ? :-

ખેડૂતોના આ 12 કલાકના ભારત બંધ દરમિયાન દેશભરમાં દુકાનો, બજારો અને વ્યવસાયિક મથકો બંધ રાખવાની હાકલ કરી છે. તમામ પ્રકારની દુકાનો અને વ્યવસાયિક મથકો બંધ રહેશે. આ સમય દરમિયાન, દૂધ અને ડેરી ઉત્પાદનોની ડિલેવરીમાં સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે દરરોજ દૂધ અને ડેરી ઉત્પાદનો ખરીદો છો, તો પછી સાંજે તેને ખરીદીલો. ખેડૂત સંગઠનોએ જણાવ્યું છે કે લોકોને સ્વેચ્છાએ દુકાનો બંધ રાખવી.ભારત બંધ દરમિયાન રસ્તાઓ જામ થશે નહીં. આને કારણે, ટ્રાફિક સંપૂર્ણપણે સામાન્ય રહેશે. આ ઉપરાંત ભારત બંધ દરમિયાન ખેડુતો રેલ્વે માર્ગને પણ વિક્ષેપિત કરશે નહીં. કારખાના-કંપનીઓને બંધ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલ પમ્પ, કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર્સ, જનરલ સ્ટોર્સ અને બુક શોપ પણ ખુલ્લા રહેશે.

ત્રણેય કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગ સાથે ખેડુતો છેલ્લા લગભગ 120 દિવસ (4 મહિના)થી રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આવતીકાલે એટલે કે 26 માર્ચ, 2021 એ ખેડૂત પ્રદર્શનનો 120 મો દિવસ છે. આવી સ્થિતિમાં ખેડૂત આંદોલનને વેગ આપવા માટે, દેશભરમાં ખેડુતો દિવસભર ભારત બંધ કરી રહ્યા છે. આ સમય દરમિયાન, ખેડૂત સંગઠનો દેશમાં દરેક જગ્યાએ દેખાવો કરશે. આ સાથે નવા કૃષિ કાયદા અને સરકારી પુતળા પણ દહન કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લી વખત ભારત ત્રણ કલાક માટે બંધ રહ્યું હતું, જેના કારણે સામાન્ય જીવનમાં વધારે તફાવત જોવા મળ્યો ન હતો. આવી સ્થિતિમાં, આ વખતે ખેડૂતો શું કરે છે તે જોવું રહ્યું.આ વખતે ભારત બંધમાં ખેડુતો વધુમાં વધુ લોકોનો ટેકો માંગે છે. તેનાથી જનતાને મુશ્કેલી ઉભી થશે. ખેડૂત નેતાઓએ તેમની સંસ્થાઓને કહ્યું છે કે રસ્તાઓ રોકો નહીં. દિલ્હી સિવાય આ બંધને દરેક રાજ્ય, દરેક જિલ્લા, તહસીલ(ટાઉનશિપ) અને ગ્રામ્ય કક્ષાએ ભારત બંધને લઈ જવાની વાત કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર