ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ચૈત્ર વદ -૧૧ વિક્રમ સંવત ૨૦૮૦ દિનાંક ૦૪/૦૫/૨૦૨૪ ને શનિવારે “વૃક્ષદેવ પરિચય કાર્યશાળા” નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યું હતું.
વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા, પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે માનનીય વૈદ કિરીટસિંહ ઝાલા દ્વારા લગભગ ૮૦ જેટલી ઔષધીય વનસ્પતિનો પરિચય કરાવેલ અને વનસ્પતિ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યશાળામાં ૭૦ જેટલા ભાઈ બહેનો અને બાળકો ઊપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગો-પાલક, નિવૃત ગ્રામ સેવક, પ્રકૃતિપ્રેમી પ્રાણજીવન ભાઈ કાલરીયા તથા મધુરમ ફાઉન્ડેશનના ડો મધુસૂદનભાઈ પાઠક તથા વૈદ્ય ચિરાગભાઈ વિડજા તથા વૈદ્ય જાનકીબેન ગામી ઉપસ્થિત રહ્યા હતા.ભારત વિકાસ પરિષદ ના ડો જયેશભાઈ પનારા, દિલીપભાઈ પરમાર, રાકેશભાઈ મેરજા, પરેશભાઈ કુંડારિયા, રજનીભાઈ જીવાણી તથા પ્રકૃતિપ્રેમી આંબાલાલ પટેલ(કવિ), ચંદ્રશેખરભાઇ, કાલરિયાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હિરેનભાઈ ધોરીપાણી દ્વારા કરવામાં આવેલ હતું.
મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી તથા પાણીનો બગાડ/દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણીનો ઉપયોગ કરવો
સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમ દરવાજાના સમાર કામ માટે ખાલી કરેલ હોવાથી હાલે મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ આધારિત રહેવાની હોય તા.-૨૦-૦૫-૨૦૨૪ ને સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે નગરપાલિકા...
મોરબી : તારીખ. 17/ 05/2024 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે.
ત્યારબાદ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ રંજનબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે મહિલા સુધી પહોંચેલ તે સર્જન વ્યક્તિએ જણાવેલ કે મહિલા ક્યારના એકલા બેઠા હોય...
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીનાં તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વર્લ્ડ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યસરકારના આદેશ અનુસાર જિલ્લા વિકાસ અધિકારી જે. એસ પ્રજાપતી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવે તથા અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો ધીરેન મહેતાની સૂચના તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી બાવરવા અને તાલુકા...