મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવ્યો.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે આજરોજ મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેરની સિવિલ હોસ્પીટલ ખાતે ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રેરક કાર્યમાં જલારામ મંદિર મહિલા મંડળ ના વંદનાબેન ઘેલાણી, રીનાબેન ચૌહાણ, ટીશાબેન ચૌહાણ, મંજુલાબેન સહીતના અગ્રણીઓ તેમજ સારથી કૌશલભાઈ જાની જોડાયા હતા. ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમ થી મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે પ્રસુતાઓ તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને સેવા પ્રદાન કરવામાં આવશે તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.
મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી તથા પાણીનો બગાડ/દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણીનો ઉપયોગ કરવો
સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમ દરવાજાના સમાર કામ માટે ખાલી કરેલ હોવાથી હાલે મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ આધારિત રહેવાની હોય તા.-૨૦-૦૫-૨૦૨૪ ને સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે નગરપાલિકા...
મોરબી : તારીખ. 17/ 05/2024 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે.
ત્યારબાદ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ રંજનબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે મહિલા સુધી પહોંચેલ તે સર્જન વ્યક્તિએ જણાવેલ કે મહિલા ક્યારના એકલા બેઠા હોય...
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીનાં તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વર્લ્ડ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યસરકારના આદેશ અનુસાર જિલ્લા વિકાસ અધિકારી જે. એસ પ્રજાપતી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવે તથા અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો ધીરેન મહેતાની સૂચના તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી બાવરવા અને તાલુકા...