મોરબી: ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતની આંગણવાડી વર્કર હેલ્પર બહેનોનાં પાયાનાં પ્રશ્નો અંગે માંગણી માટે જાન્યુ. ૨૨ થી સતત રજૂઆત કરવામાં આવી રહી છે. જેમ કે રોજીંદ કામ મોબાઈલ એપ્લીકેશનો દ્વારા કરવું અશકય હોવા છતાં કરેલ છે. યુનિયને તેમાં સહયોગ કરેલ છે. કમિશ્નર સાથે પ્રશ્નોની વિસ્તૃત બેઠકમાં કરાયેલ છે. સરકાર દ્વારા કોઈજ નિર્ણય કરાયો નથી.
જ્યારે છેલ્લે તા : ૨૯/૯/૨૦૨૨ ના રોજ ૨૨ જીલ્લાઓમાં તથા યુનિયન દ્વારા સીધા જ આવેદન દ્વારા ૧૦ મી સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્નો ઉકેલવા જણાવાયેલ હતુ. ૩જી સપ્ટેમ્બરનાં રોજ મંત્રી સાથે યુનિયન લીડરો સાથે બેઠક થઈ, મંત્રીએ રજુઆત સાંભળી પણ તેમની મર્યાદાને કારણે કોઈજ નિર્ણય ન થઈ શકયો. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને ખુબજ ધીરજ દાખવી અને જવાબદારી પૂર્વક વર્તન કર્યું અને તા :૧૦ સુધી કોઈ નિર્ણાયક બેઠક યોજાશે કે નિર્ણય કરાશે તે માટે સંયમ પુર્વક રાહ જોઈ છે યુનિયન સાથે જોડાયેલ સેંકડો બહેનો ત્તા. ૧૦ સુધી નિર્ણય કરશે તેવી વાત સમજાવી હતી.
પરંતુ દુ:ખ સાથે આપને જણાવવાનું કે, આજ તારીખ સુધી કોઈજ નિર્ણય કરાયો નથી કે નિર્ણાયક બેઠક યોજાઇ નથી.
તેમજ સરકારને છેક જાન્યુઆરી ૨૦૨૨ થી અત્યાર સુધી નિર્ણય કર્યો નથી. યુનિયન ના છૂટકે પણ તા. ૧૦ બાદ વ્યાપક આંદોલન તરફ જવાની ફરજ પડી રહી છે. તેમ છતાં ગુજરાત આંગણવાડી કર્મચાર સંગઠનનું વલણ પોઝીટીવ – હકારાત્મક જ છે. અને નિર્ણાયક બેઠક યોજવાની તરફેણ કરે છે અને તૈયાર છે.જેથી તા.૧૨-૧૩-૧૪ ત્રણ દિવસ માટે સાંકેતીક સદેશો આપવા કામથી અળગા રહેશે તેમજ મોબાઈલ દ્વારા થતી તમામ કામગીરી કરશે નહિ, સરકારી મોબાઈલ ચાલતા નથી અને ખાનગી મોબાઈલ ઉપયોગ કરવા સંમતિ નથી.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...