Friday, March 29, 2024

ચક્રવાત ઈમ્પેક્ટ : ચક્રવાતના અહેવાલ બાદ 24 કલાકમાં જ મહિકાથી કાનપર ગામને જોડતા રોડનું કામ પુનઃ શરૂ કરાયું…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

સત્ય માટે સત્ય સાથે સતત… ચક્રવાત ન્યુઝ

વાંકાનેર તાલુકાના મહિકા ગામથી કાનપર ગામને જોડતા અને લાંબા સમયથી ખખડધજ હાલતમાં ફેરવાયેલા આ રોડના નવિનીકરણનું કામ આશરે ચારેક માસ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. જે કામ આજે ચાર મહિના બાદ પણ અધુરૂ હોય બાબતે ગામ લોકોએ પોતાની સમસ્યા ચક્રવાત ન્યુઝને વર્ણવી હતી જે બાદ ચક્રવાત ન્યુઝ દ્વારા લોકહિતમાં આ અધુરાં રોડનું કામ પુરૂ કરવા બાબત અખબારી અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા જેની 24 કલાકમાં જ સફાળા જાગેલા તંત્ર દ્વારા તાત્કાલિક આ રોડનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેથી ચક્રવાત ન્યુઝને લોકહિતમાં વધુ એક સફળતા મળી છે…

સતત લોકહિતમાં કાર્યરત અને ખરા પત્રકારત્વનું પ્રતિનિધિત્વ કરતા નિડર મિડિયા સમુહ એવા ચક્રવાત ન્યુઝ દ્વારા આ બાબતે અખબારી અહેવાલ પ્રસિધ્ધ કર્યાની માત્ર 24 કલાકની અંદર જ આ મહિકા ગામથી કાનપર ગામને જોડતા રોડનું કામ પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. જે ખરેખર ચક્રવાત ન્યુઝ ની નહીં પરંતુ આ ગામનાં જાગૃત નાગરિકોની જીત છે જેમણે સત્ય માહિતીને યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડી….

સત્ય મેવ જયતે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર