સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી અપૂરતા સ્ટાફના કારણે ત્યાં આવતા દર્દીઓને ખૂબ હાલાકી ભોગવવી પડતી રહી છે. અવાર નવાર સામાજિક કાર્યકરો દ્વારા કાયમી ખાલી પડેલ પોસ્ટ માટે નિમણુક કરવા રજૂઆતો કરવામાં આવતી હોય છે પરંતુ આજ સુધી સિવિલ હોસ્પિટલમાં ક્યારેય પૂરતો સ્ટાફ સ્થાપિત થઈ સક્યો નથી.
રાજ્યમાં શ્રમ અને પંચાયત નાં સ્વતંત્ર હવાલાના મંત્રી દ્વારા ઉત્સાહભેર સિવિલ હોસ્પિટલમાં તબીબો માટેની ખાલી પોસ્ટ પર નિમણુક કરવાના એલાન કરવામાં આવે છે પરંતુ છતાં પણ કોઈ તબીબોના દર્શન તો દુર્લભ જ રહે છે.
રાજ્યમંત્રી દ્વારા ત્રણ તબીબોની નિમણુક કરવાનું એલાન કરવામાં આવ્યો હતો જેને એક માસ થવા આવ્યો છતાં પણ હજુ સુધી ૨ તબીબો હાજર થયા નથી. એક તબીબ હાજરી પુરાવી રજા પર ચાલ્યા ગયા. ત્યારે શું સિવિલ હોસ્પિટલના કોઈ તબીબની દર્દીઓ પ્રત્યે જરા પણ ફરજ નથી બનતી ?
આ બાબતે કાર્યકરો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવતી હોય છે આંદોલન પણ કરવામાં આવ્યા છે પરંતુ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હંગામી ધોરણે તમામ ખાલી જગ્યાઓ ભરવા માટે માંગણી ઉઠી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...