મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવતીએ પોતાના પતિના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં જીવન ટુંકાવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી છે.
મોરબીના ખત્રિવાડ માં રહેતા વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ જાતે રાજપુત (ઉ.વ.૨૨ રહે , રહે ખત્રિવાડ) પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવ્યો હતો ત્યારે તેમને સારવાર અર્થે ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા . પરંતુ યુવતીનું મોત નિપજ્યું હતું ત્યારે પોલીસ દ્વારા આ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...