મોરબી જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે.ટ્રાફિકના લીધે જનતા પણ ખૂબ પરેશાન છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા ને દુર કરવા તેમજ લોકોમાં આ બાબતની જાગૃતતા આવે એ માટે માળિયા પોલીસ દ્વારા આજ રોજ “ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ” યોજવામાં આવ્યો હતો.
જનતા એ કઈ રીતે ટ્રાફિકના નિયમો નું પાલન કરવું જોઈ એ ઉપરાંત કઈ વિશેષ વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈ એ જેના થી આ ટ્રાફિક ની સમસ્યા થી છુટકારો મેળવી શકાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકોને ટ્રાફિક તેમજ નિયમો થી માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત વાહન સુવ્યવસ્થિત તેમજ સલામતી થી ચલાવવા માટે અપીલ કરવામાં આવી હતી. ” ઝડપની મજા , મોતની સજા” નાં સ્લોગન સાથે લોકો ને જાગૃત કરવામાં આવ્યા હતા. નાના વાહનો થી લઇ મોટા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની અવગત કરાવી અનિચ્છનીય બનાવોને અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. આ કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ એમ.એચ. સોલંકી ઉપરાંત હાઇવે ઓથોરિટીનાં ફૂલબાબુ સાહેબ તેમજ તેઓની ટીમ હાજર રહી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...