મોરબી જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે.ટ્રાફિકના લીધે જનતા પણ ખૂબ પરેશાન છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા ને દુર કરવા તેમજ લોકોમાં આ બાબતની જાગૃતતા આવે એ માટે માળિયા પોલીસ દ્વારા આજ રોજ “ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ” યોજવામાં આવ્યો હતો.
જનતા એ કઈ રીતે ટ્રાફિકના નિયમો નું પાલન કરવું જોઈ એ ઉપરાંત કઈ વિશેષ વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈ એ જેના થી આ ટ્રાફિક ની સમસ્યા થી છુટકારો મેળવી શકાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકોને ટ્રાફિક તેમજ નિયમો થી માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત વાહન સુવ્યવસ્થિત તેમજ સલામતી થી ચલાવવા માટે અપીલ કરવામાં આવી હતી. ” ઝડપની મજા , મોતની સજા” નાં સ્લોગન સાથે લોકો ને જાગૃત કરવામાં આવ્યા હતા. નાના વાહનો થી લઇ મોટા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની અવગત કરાવી અનિચ્છનીય બનાવોને અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. આ કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ એમ.એચ. સોલંકી ઉપરાંત હાઇવે ઓથોરિટીનાં ફૂલબાબુ સાહેબ તેમજ તેઓની ટીમ હાજર રહી હતી.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...