મોરબીના લોકો બાલ દેવો ભવ:ની ભાવના ધરાવે છે,અને શાળામાં ભણતાં બાળકો માટે મોરબી પંથકના લોકો કઈંકને કંઈક અવનવું દાન કરતા રહે છે,હાલ ગરમીનો પારો અસહ્ય રીતે તપી રહ્યો છે,લોકો હાલ ગરમીથી આકુળ વ્યાકુળ છે ત્યારે ગરમીમેં ભી ઠંડી કા અહેસાસ કરાવતી દાનવૃત્તિ નજરમાં આવેલ છે.
વાત જાણે એમ છે કે મોરબી તાલુકાના માણેકવાડા ગામના પ્રભાબેન તથા મહાદેભાઈ ચનિયારા દંપતી દ્વારા શાળામાં અભ્યાસ કરતાં 250 જેટલા બાળકોને મોંઘા મુલની આઇસક્રીમ ખવડાવી હતી,જેથી આવી અસહ્ય ગરમીમાં બાળકોને મનગમતી,મન ભાવતી આઈસ્ક્રીમ આરોગવા મળી એટલે બાળકોને મોજ આવી ગઈ અને ખુશખુશાલ થઈ ગયા આ તકે વિપુલભાઈ અઘારા આચાર્ય તેમજ શાળા પરિવારે બંને દાતા દંપતીનો હૃદયપૂર્વક આભાર પ્રકટ કરેલ છે.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...