હળવદ: જી.સી.ઈ.આર. ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના માર્ગદર્શન હેઠળ બી.આર.સી.ભવન હળવદ દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ની હળવદ પે.સે.શાળા નંબર 4 ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી.
ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ના મુખ્ય વિષય અન્વયે હળવદની વિવિધ પ્રાથમિક શાળાઓમાંથી 94 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને 47 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. બધા જ બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહક પુરષ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ડાયેટ માંથી વિજયભાઈ સુરેલીયા અને ડૉ. હમીરભાઇ કાતડ , કે.નિ. સુનિલભાઈ મકવાણા તથા હળવદ તાલુકાના વિવિધ પ્રાથમિક શિક્ષક સંઘોના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર પ્રદર્શનનું આયોજન હળવદ બી.આર.સી. કો. ઓર્ડીનેટર મિલનકુમાર કે. પટેલ સાહેબ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...