હળવદ: હળવદ તાલુકાના ઈશનપુર ગામે તારે શાકભાજી લેવા આવવું નહીં તથા જાતી પ્રત્યે હડધૂત કરી આધેડને માર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે રહેતા ગીરીશભાઈ નાગરભાઈ પરમાર (ઉ.વ.૪૧) એ આરોપી મનસુખભાઈ જેરામભાઈ કોળી ,વિપુલભાઈ મનસુખભાઇ કોળી, જેરામભાઈછગનભાઈ કોળી, મનસુખભાઇના પત્ની, જેરામભાઇના પત્ની ,રાધાબેન મનસુખભાઇ કોળી, મયુરીબેન મનસુખભાઇ કોળી બધા રહે.ગામ-જુના ઇશનપુર વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૮-૨૦૨૨ ના સવારના સાડા સાત વાગ્યે ફરીયાદી ગીરીશભાઈ શાકભાજીની લારી પરથી શાકભાજી લેવા ગયેલ ત્યારે આરોપી મનસુખભાઇએ ફરીયાદીને કહેલ કે શાકભાજી લેવા તારે આવવાનુ નહી અને તારા ઘરે જ તારે શાકભાજી લેવાની તેમ કહેતા ફરીયાદીએ કહેલ કે આ ગામનો રોડ હોય અને મને મન થાય તે રીતે શાકભાજી લેવા આવીશ તેમ કહેલ જેનુ મનદુખ રાખી આરોપી નં.૧એ ફરીયાદીને કહેલ કે કાલે ઢેઢા તુ શું હોશીયારી કરતો હતો તને વધારે હવા છે ? તુ અહી જ ઉભો રહેજે તેમ કહી જાહેરમાં જાતી પ્રત્યે આપમાનીત કરી નજીક પોતાના ઘરેથી લોખંડનો પાઈપ લઈ આવી ફરીયાદીને લોખંડનો પાઈપ ડાબા પગે ઢીચણ થી નીચે મારી ફેક્ચર કરી તેમજ આરોપી વિપુલભાઈએ લોખંડના પાઈપ વતી ફરીયાદીને ડાબા હાથે કોણી તથા કાંડા ની વચ્ચે મારી ફેક્ચર કરી તેમજ આરોપી જેરામભાઈ એ પોતાના હાથમા રહેલ લોખંડના પાઈપ વતી ફરીયાદીના સાથી નાગરભાઈને ડાબા પગની પેનીના ભાગે ફેક્ચર તેમજ લોખંડ નો પાઈપ માથાના પાછળ ના ભાગે મારી ઈજા કરી તેમજ આરોપી નંબર મનસુખભાઇ ના પત્ની, જેરામભાઈના પત્ની, રાધાબેન,મયુરીબેનએ ચાલુ ઝઘડામા પાછળ આવી ફરીયાદી તેમજ સાથીને ઢીકા પાટુનો માર મારી શરીરે મુઢ ઈજાઓ કરી ગુન્હો કરવામા એકબીજાની મદદગારી કરી ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનનીત કરી હતી. આ બનાવમાં આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસે ઇ.પી.કો. કલમ-૩૨૩,૩૨૫,૧૧૪ તથા જી.પી.એકટ-૧૩૫ તથા એટ્રોસીટી અધિનિયમ સને-૨૦૧૫ ના સુધારાની કલમ ૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...