હળવદ: હળવદ તાલુકાના ટીકર વિસ્તારમાં ખનીજ ખનન કરતા ઈસમો પર હળવદ પોલીસે કાર્યવાહી કરી ૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હળવદ પોલીસ સ્ટાફ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, ટીકર વિસ્તારમાં નદીમાં ગેરકાયદેસર ખનીજનું ખોદકામ તથા વહન થઈ રહેલ છે. જેથી સાથેના સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ નદીમાં કાર્યવાહી કરતા ખનીજ ખોદકામ/વહનના કામમાં ઉપયોગમાં લીધેલ સાધનો/વાહનો બે ડમ્પર, એક હિટાચી મશીન, એક જે.સી.બી, બે ટ્રેક્ટર, બે હુડકા મળી કુલ કિંમત રૂપિયા ૭૧,૦૦,૦૦૦/- નો મુદામાલ હસ્તગત કરી મોરબી ખનીજ વિભાગને કાયદેસર કાર્યવાહી કરવા સારૂ જાણ કરવામાં આવેલ છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...