મોરબી: મોરબી ભક્તિનગર સર્કલ પાસે સિલ્વર કોમ્પલેક્ષમા આવેલ સત્યમ ઓટો ગેરેઝ નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ અને બે ચપલા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી ભક્તિનગર સર્કલ પાસે સિલ્વર કોમ્પલેક્ષમા આવેલ સત્યમ ઓટો ગેરેઝ નજીકથી આરોપી કિરણભાઈ મુળરાજભાઈ આશર (ઉ.વ.૩૩.) રહે.જુના જાંબુડીયા ધર્મસિધ્ધિ સોસાયટી તા.જી. મોરબી વાળા પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં.રૂ.૧૦૦૦ તથા ચપલા નંગ -૨ કિં.રૂ.૨૦૦ એમ મળી કુલ કિં.રૂ. ૧૨૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ વિશાલભાઈ મહેશભાઈ બારોટ રહે. વાવડી રોડ મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...