મોરબી: મોરબી વાવડી ચોકડી મહાદેવ મંદીર પાસે રોડ પર યુવક ઉપર બે શખ્સોએ કુહાડી વડે હુમલો કરી મુંઢ માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી નાની વાવડી ગાયત્રીનગરમા રહેતા સંજયભાઈ માણસુરભાઈ ગજીયા (ઉ.વ.૨૭) એ આરોપી જીલુભાઈ નાથાભાઈ વાંક (રહે.કન્યા છાત્રાલય રોડ કેનાલ વાળી પહેલી શેરી તા.મોરબી ) તથા સંજયભાઈ રાજાભાઈ ડાંગર (રહે.તારાણા ગામ તા.જોડીયા જી.જામનગર) વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૩૧ -૦૮-૨૦૨૨ના રોજ સવારના આઠક વાગ્યાના અરસામાં ફરીયાદી સંજયભાઈને આરોપી જીલુભાઈએ કુહાડીથી માથામાં એક ઘા મારી ઈજા કરેલ તેમજ આરોપી સંજયભાઈએ ફરીયાદીને શરીરે મુંઢ ઈજા કરી બંન્નેએ ફરીયાદીને ગાળો ભુંડા આપી હતી. જેથી સંજયભાઇ ગજીયાએ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામાનો ભંગ હેઠળ ગુન્હો નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...