માળિયા તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે એક ઈસમ દ્વારા યુવકને માથાના ભાગે તેમજ નાકના ભાગે ઘા મારી ગંભીર ઈજાઓ કરવામાં આવી હતી. તેમજ તેમનું મોત નિપજવા આવ્યું હતું ત્યારે મૃતકના ભાઈ દ્વારા માળિયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
જાણવા મળતી વિગતો અનુસાર, મૃતક લેરાજી ચમનજી બલોધણા (ઉ.વ.આ.૩૫ રહે.અસાણા જી.બનાસકાંઠા ) વાળા પીપળીયા ચોકડી પાસે રાધે ક્રિષ્ના ઓટો પાટૅસની સામે રોડની સાઇડમા જતા હોય ત્યારે આરોપી દિનેશભાઇ વરસંગભાઇ રજપુત દ્વારા ત્યાં આવી કોઈ કારણોસર તેમને માથાના ભાગ પર તેમજ નાકના ભાગ પર કોઈ હથિયાર વાળી ગંભીર ઈજાઓ કરેલ હોઈ અને તેમનું મોત નીપજાવી હોઈ. તેવી ફરિયાદ મૃતકનાં ભાઈ હિરાજી ચમનજી બલોધણા દ્વારા માળિયા મી. પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...