મોરબી ના ધોળેશ્વર રોડ પર આવેલા શ્રી શાંતિવન આશ્રમ ખાતે પ પૂ અનંત વિભૂષિત શ્રી સદગુરુ શ્રી કેશવાનંદ બાપુ ની ૨૪ મી પુણ્યતિથિ નિમિતે શ્રી કલ્યાણનંદ (ગુરુદેવ શ્રી કેશવાનંદ બાપુ) ના સાનિધ્યમાં તા ૨૬/૧૨/૨૦૨૩ મંગળવારે સંતવાણી,ગુરુયાગ યજ્ઞ,સત્યનારાયણ કથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા છે.
જેમાં ગુરુયાગ યજ્ઞ સવારે ૭ વાગ્યે બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ સાંજે સત્યનારાયણ કથા અને રાત્રે ૧૦ વાગ્યે ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે જેમાં શૈલેષભાઈ રાવલ,લલિતાબેન ઘોડાદ્રા, કિશોરભાઈ વાઘેલા, પીયૂષભાઈ મિસ્ત્રી, સહિતના કલાકારો સંતવાણી ની રમઝટ બોલાવશે મોરબી પંથક ની ધર્મપ્રેમી જનતા ને લાભ લેવા કલ્યાણનંદ ગુરુદેવ કેશવાનંદબાપુની યાદી માં જણાવ્યું છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...