મોરબી ના ધોળેશ્વર રોડ પર આવેલા શ્રી શાંતિવન આશ્રમ ખાતે પ પૂ અનંત વિભૂષિત શ્રી સદગુરુ શ્રી કેશવાનંદ બાપુ ની ૨૪ મી પુણ્યતિથિ નિમિતે શ્રી કલ્યાણનંદ (ગુરુદેવ શ્રી કેશવાનંદ બાપુ) ના સાનિધ્યમાં તા ૨૬/૧૨/૨૦૨૩ મંગળવારે સંતવાણી,ગુરુયાગ યજ્ઞ,સત્યનારાયણ કથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા છે.
જેમાં ગુરુયાગ યજ્ઞ સવારે ૭ વાગ્યે બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ સાંજે સત્યનારાયણ કથા અને રાત્રે ૧૦ વાગ્યે ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે જેમાં શૈલેષભાઈ રાવલ,લલિતાબેન ઘોડાદ્રા, કિશોરભાઈ વાઘેલા, પીયૂષભાઈ મિસ્ત્રી, સહિતના કલાકારો સંતવાણી ની રમઝટ બોલાવશે મોરબી પંથક ની ધર્મપ્રેમી જનતા ને લાભ લેવા કલ્યાણનંદ ગુરુદેવ કેશવાનંદબાપુની યાદી માં જણાવ્યું છે.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...