મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સેવા એજ પરમોધર્મ સૂત્રને સાર્થક કરતો એક સેવાકીય પ્રોજેકટ કરવામાં આવ્યો જેમાં ડાયભાઈ નામની વ્યક્તિને આ ટ્રાયસિકલ હસમુખભાઈ બી. પાડલીયા દાતા તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા. ટી. સી. ફુલતરિયા પાસ્ટ પ્રમુખ લા ભીખાભાઈ લોરિયા લા. મહાદેવભાઈ ચિખલિયા લા. પી. એ. કાલરીયા તેમજ સતેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના હસ્તે ફૂલહાર પહેરાવીને અર્પણ કરવામાં આવી.
આ સેવાકીય પ્રવૃત્તિના પ્રેરક માર્ગદર્શક સૌરાષ્ટ્ર કચ્છના પ્રથમ વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા હતા આવા અનેક સેવાકિય પ્રોજેક્ટમાં તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે દિવ્યાંગ ડાયાભાઈ આ સાયકલથી સમાજ સાથે હરીફરી શકે અને સમાજ સાથે રહી શકે તેવી ભાવના આ સાથે વ્યકત કરવામાં આવી તેમ સેક્રેટરી લા. ટી. સી. ફૂલતરિયાની યાદીમાં જણાવ્યું હતું.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...