મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મચ્છુનગર સોનેટ કારખાનાની સામે રહેતા કોકીલાબેન સુરેશભાઈ સોલંકી (ઉ.વ.૪૦) એ આરોપી ચતુરભાઈ પ્રજાપતિ (રહે. મચ્છુનગર ગામે) વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૮-૨૦૨૨ ના રોજ બપોરના સુમારે ફરીયાદી પોતાના ઘર પાસે શેરીમા ઉભા હોય તે દરમ્યાન આરોપી ચતુરભાઇ પ્રજાપતિ મોટર સાઇકલ લઇ આવી ફરીયાદીનુ બાવડુ પકડી મોટર સાઇકલમાં બેસી જવાનુ કહી મારી નાખવાની ધમકી આપી જાહેરમા ગાળો બોલી જાતિ વિરૂધ્ધ અપ-શબ્દો બોલી ફરીયાદી તથા તેમના પતિ સાથે ઝપાઝપી કરી ગુન્હો કરતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો ઇ.પી.કો. કલમ-૩૫૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨), તથા એટ્રોશીટી એકટ ની કલમ-૩(૧)(R)(S), ૩(૧)(W)(1), ૩(૨)(૫-એ) હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...