મોરબી: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મહિલા સંઘ દ્વારા સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરનું આયોજન

મોરબી: અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ – મોરબી જીલ્લા દ્વારા આગામી 2-6-2023ના શુક્રવારે નવલખી રોડ ત્રિમંદીર ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજના ૧૪ થી ૨૫ વર્ષના દિકરીબાઓ તેમજ નવપરણિત મહિલાઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન અંતર્ગત એકદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવશે જે શિબિરમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન ફી માત્ર 50 રૂપિયા રાખવામાં આવી છે તેમજ ભોજનની વ્યવસ્થા પણ છે.

આ સાંપ્રત સમયમાં સંસ્કાર અને સંસ્કૃતિનાં રખેવાળ તરીકે રાજપૂત સમાજ તેમજ આમ સમાજ પણ જ્યારે રાજપૂતાણીઓ તરફ માનભેર અને આશાસભર દ્રષ્ટિએ જોઇ રહ્યો છે ત્યારે ઉજળી પરંપરાઓની જાળવવી એ આપણી નૈતિક અને સામાજીક પ્રથમ ફરજ બને છે. આવા શુભ આશયથી એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવયુબચે જેમાં રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના અનુભવી વકતાઓ માર્ગદર્શન આપશે. મોરબી જીલ્લામાંથી દરેક તાલુકા અને ગામથી બહોળી સંખ્યામાં દિકરીબાઑ તથા નવપરણિત મહિલાઓં આ શિબિરમાં જોડાય તેવી નમ્ર અપિલ કરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img