મોરબી : ઉંચી માંડલ નજીક આવેલ એક મોબાઈલ શોપમાં બે હિન્દીભાષી શખ્સો દ્વારા દુકાનદારને બંદૂક બતાવીને લૂંટ કરવામાં આવી હતી અને લૂંટારૂઓ અંદાજે જ્ઞ ૨૫,૦૦૦ ની લૂંટ કરીને ભાગી રહ્યા હતા ત્યારે દુકાનદારે તેનો પીછો કર્યો હતો જેથી કરીને લૂંટારૂએ તેની પાસે રહેલી પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે બે આરોપીની લુંટના ગુનામાં ધરપકડ કરી હતી અને ત્રીજો આરોપી સગીરવયનો હોય તેને પકડીપાડી રીમાંડ હોમમાં મુકયો હતો લૂંટારૂઓને હથિયાર આપનાર ઇસમની પણ તાલુકા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને હાલ તેને જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળેલ છે . જ્યારે મોરબી તાલુકાનાં ચકમપર ગામે રહેતા મોન્ટુભાઈ ચુનિભાઈ કાલરીયાની ઊંચી માંડલ ગામ પાસે સિટી પલ્સ મોબાઈલ નામની દુકાન આવેલ છે જેમાં બે બુકાનીધારી શખ્સો આવ્યા હતા અને તે પૈકીના એક શખ્સ બંદુક બતાવીને દુકાનદાર પાસેથી રોકડા રૂ . રપ હજારની લૂંટ કરી હતી જેથી દુકાનદારે તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં પોલીસે અરૂણ ચંદ્રકાંત ચંદેલ જાતે ખાટકી (ઉ.વ. 23 ) રહે રામદેવ માર્ગ જાદવ નિમચ મધ્યપ્રદેશ અને પ્રકાશ દાલચંદ ભીલ આદીવાસી ( ઉ. 18 ) રહે ખોર જાવદખાટકી મહોલ્લો જિલ્લો નીમચ મધ્યપ્રદેશની ધરપકડ કરી હતી અને આ ગુનામાં આરોપીની સાથે સંડોવાયેલ સગીરવયના આરોપીને હસ્તગત કરીને રીમાંડ હોમમાં મુકાયો હતો.
ઉપરોક્ત ત્રણેય ઇસમો ચોરી કરેલ બાઇક લઈને લૂંટને અંજામ આપવા પહોંચ્યા હોય ત્રણ પૈકીના અરુણ અને પ્રકાશની બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે બાઇક ચોરીના ગુનામાં પણ ધરપકડ કરી હતી . લુંટ તેમજ આર્મ્સ એકટના ઉપરોક્ત બનાવમાં લુંટારૂને હથિયાર આપનારની તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને તાલુકા પીઆઇ વી એલ પટેલ દ્વારા લૂંટારૂને લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર આપનાર વાચસ્પતિ ઉર્ફે બીટુ હેમંતજી રામેશ્વરજી ડોરીયા જાતે બ્રાહ્મણ ( ઉ.વ. 31 ) રહે.ડોરીયા ઘાટ શીતળા માતા મંદિર પાસે તા.જાદવ જી નિમચ મધ્યપ્રદેશની પણ ઉપરોકત ગુનામાં ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને જેલહવાલે કરવા હુકમ કરતા તેને હાલ જેલહવાલે કરાય ની માહિતી મળી રહી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...