મચ્છુ ૩ ની કેનાલ નો લાભ મેળવવા માટેના નક્કી થયેલ ગામો ને કેનાલ ની સુવિધા જલ્દી પૂરી કરવા તેમજ પંપ દ્વારા પાણી ઉપાડવા માટેની પુરતી વ્યવસ્થા કરવા બાબતે મુખ્યમંત્રી ને રજુઆત કરવામાં આવી છે
મોરબી જીલ્લા માં મચ્છુ- ૩ સિંચાઈ યોજના નો ડેમ બનાવવા માટે નું ખાતમુહૂર્ત જેતે વખત ના સન્માનીય મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ દ્વારા પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ને એક મહિના જેવા સમય માં જ કરવામાં આવેલ હતું,. જેને આજે ૩૦ વર્ષ કરતા પણ વધારે સમય થઇ જવા પામેલ છે.આ યોજના ની કેનાલ નું ખાતમુહૂર્ત ૨૦૧૬ ના વર્ષ માં કરવામાં આવેલ હતું જેને પણ સાત વર્ષ જેવો સમય થઇ જવા પામેલ છે.આમ છતાં આજ દિવસ સુધી આ વિસ્તાર ના ખેડૂતો ને એક ટીપું પાણી પણ મળેલ નથી. આ યોજના ની કેનાલ ના કામ માં પણ ભ્રષ્ટાચાર થયા ની ફરિયાદો પણ થયેલ છે.
આ વિસ્તાર ના ખેડૂતો ના કહેવા મુજબ કે અમો ની એક પેઢી તો આ પાણી ની રાહ જોવા માં જ પૂરી થઇ ગઈ હવે પાણી ક્યારે આવશે, અને આવશે ત્યારે પણ અમારા ખેતરે અમો કેવી રીતે પહોચાડી શકીશું કારણકે આ પાણી ઉપાડવા માટેના જે કુવાઓ કેનાલ માં મુકવામાં આવેલ છે તે જરૂર કરતા ખુબજ ઓછા છે તેમજ ખેડૂતો એ પોતાના ખેતર સુધી પાણી લઇ જવા માટે વચ્ચે આવતા ક્યાં ખેતર માંથી લઇ જવું તેની પણ કોઈ વ્યવસ્થા કે જોગવાઈ ઓ ત્યાર કરવામાં આવેલ નથી અને કેનાલો પણ તુટવા લાગી છે.
જો સરકાર દ્વારા આ બાબતે હવે સમયસર કાર્યવાહી નહિ કરવામાં આવે તો, આ વિસ્તાર ના ખેડૂતો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની અમોને ફરજ પડશે તેવુ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન નાં જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પોતાની રજૂઆત માં જણાવ્યું છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...