Sunday, May 5, 2024

મોરબી પરશુરામ ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીમાં આગામી તા.૧૦/૦૫/૨૦૨૪ ને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ જન્મજયંતી છે જેને લઇને મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે.

આ માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી જ્યદીપભાઈ મહેતા, મહામંત્રી નયનભાઈ પંડ્યા તેમજ સંકલન સમિતિ અને અન્ય હોદેદારો સહિત બ્રહ્મ સમાજના તમામ પરિવાર દ્વારા આ ઉજવણી ધામ ધૂમથી થાય તે માટે જોર શોરથી મહેનત કરી રહ્યા છે.

 ત્યારે આગામી તા.10 મે ના રોજ પરશુરામ ભગવાનનો જન્મોત્સવ છે ત્યારે આગળના દિવસે સાંજે ૯.૦૦ કલાકે નવલખી રોડ સ્થિતિ પરશુરામ ધામ ખાતે બ્રહ્મપરીવારો દ્વારા રાસ ગરબા કરી ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને બીજા દિવસે તારીખ 10 મે 2024 ના રોજ મોરબીના ગાયત્રી મંદિર વાઘપરા ખાતે થી શોભાયાત્રા બપોરના 4.00 કલાકે શરૂ થશે અને ધામધૂમ થી ઢોલ નગરા સાથે ભગવાન પરશુરામ મોરબીના રાજમાર્ગો પર નગરચર્યા કરી અને નવલખી સ્થિત શ્રી પરશુરામ ધામ ખાતે પહોંચશે જ્યાં પ્રસાદ લઈ ભગવાન પરશુરામ દાદાને છપ્પન ભોગ ધરાવી મહા આરતી કરી પ્રસાદ લઈ ઉજવણી કરવામાં આવશે સાથે સાથે બંને દિવસના કાર્યક્રમોનું પ્રસારણ પણ લાઈવ રહેશે ત્યારે મોરબીના તમામ બ્રહ્મ પરિવારોને આ ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણીમાં ભાગ લેવા પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી તથા પરશુરામ યુવા ગ્રુપના તમામ હોદેદારો સભ્યો અને બ્રહ્મ સમાજ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર