મોરબી: અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાંથી થનાર તમામ નફો શહીદ પરિવાર અને ગૌશાળાને અર્પણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો જે નિર્ધાર મુજબ આજે અજય લોરિયા દ્વારા ૧૬ શહીદ પરિવારો અને બે ગૌશાળા તેમજ અનાથ આશ્રમમાં રકમ અર્પણ કરવામાં આવી હતી.
પાટીદાર નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ માં ૩૪.૮૦ લાખનો નફો થયો હોય જે રકમમાંથી ૧૬ શહીદ જવાનોના પરિવારને સન્માનિત કરીને ૧૯,૫૦ લાખ રૂપિયા તેમજ માધવ ગૌશાળા રવાપરને રૂ ૧૧,૧૧,૧૧૧ તેમજ યદુનંદન ગૌશાળાને ૧,૧૧,૧૧૧ તથા ૧,૧૧,૧૧૧ અનાથ આશ્રમને અર્પણ કરવામાં આવ્યા છે
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...