મોરબી: મોરબી ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી એક જાગૃત નાગરિક દ્વારા ખોવાયેલ પાઉચ ટ્રાફિક પોલીસને સોંપતા ટ્રાફિક પોલીસની ટીમે એડ્રેસ પરથી પતો મેળવી ખોવાયેલ પાઉચ તે વ્યક્તિને પરત સોંપતા ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબીના એક જાગૃત નાગરિક દ્વારા બે દિવસ અગાઉ એક પાઉચ સોપેલ જેમાં જોતા ઓરીજનલ ડોક્યુમેન્ટસ, ₹700 રૂપિયા રોકડા, પાસપોર્ટ સાઇઝ ફોટાઓ જણાયેલ જે ડોક્યુમેન્ટસના આધારે એડ્રેસ જોઈ તે વ્યક્તિનો સંપર્ક કરતા બરવાળા- તાલુકો મોરબીના અને સદભાવના હોસ્પિટલ મોરબી ખાતે ફરજ બજાવતા હોવાનું જણાવેલ જેથી આજ ત્યાં રૂબરૂ જઈ પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાફિકના ઓની સૂચના અને માર્ગદર્શન મુજબ ખરાઈ કરી તે વ્યક્તિને ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ્સ, પાસપોર્ટના ફોટાઓ ₹700 રૂપિયા, હોસ્પિટલના ઇન્ચાર્જ ની હાજરીમાં પાઉચ પરત સોપતા મોરબી ટ્રાફિક પોલીસની ટીમ વર્કનો હૃદય પૂર્વક આભાર માનેલ અને જણાવેલ કે પોલીસ પ્રજાનો મિત્ર છે એ આપે આપની ટીમ દ્વારા સાર્થક કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. છાસીયાના માર્ગદર્શનમાં પો.સબ. ઇન્સ .ડીબી ઠકકર, દેવાયતભાઈ, દેવજીભાઈ ,વિજયભાઈ ,કેતનભાઇ તેમજ મહિલા કોન્સ્ટેબલ ભારતીબેન જોડાયા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...