મોરબી : મોરબીમાં આવતીકાલે સોમવારે એક સમાન વીજદર મામલે જિલ્લા કલેકટર કચેરીએ કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતો ધરણા કરી આવેદનપત્ર આપશે.
ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ દ્વારા વિજ દર અને વિજ મીટર મરજિયાત ખેતી વાડીમા ના મુદ્દે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર તા,04/07/2022 ના તમામ જીલ્લા કલેક્ટર કચેરીએ ખેડૂતો કાર્યક્રમ આપશે. ખેતીવાડીમા બે પ્રકારથી વિજળી આપવામા આવે છે. એક મીટર આધારિત બીજી હોસ પાવર આધારિત. તે મીટરના વિજ બીલ ખેડૂતોને પરવડે તેમ નથી. એટલે એક સમાન વિજ દર હોવા જોઈએ એ માંગ અને બીજા ખેડૂતો પ્રશ્નોને લઈ આવતીકાલે સોમવારે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતો ધરણા કરી આવેદનપત્ર આપશે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...