મોરબી: સૌ પ્રથમ કારોબારીની શરૂઆત જિલ્લાના મહામંત્રી કિરણભાઈ કાચરોલા દ્વારા જિલ્લાના કાર્યકર્તાઓ અને દરેક તાલુકામાંથી આવેલા કાર્યકર્તાઓનું અભિવાદન કરવામાં આવ્યું. ત્યારબાદ હિતેશભાઈ ગોપાણી દ્વારા સંગઠન મંત્ર સાથે કારોબારી શરૂ થઈ. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા શિક્ષક સમાજને સ્પર્શતા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવા માં આવી જેમ કે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે 1 જુલાઈથી દરેક કાર્યકર્તાઓને દરેક શિક્ષકો સુધી પહોંચી સદસ્યતા અભિયાનમાં શિક્ષકોને જોડી સંગઠનના સભ્યો બનાવવા, ત્યારબાદ દરેક તાલુકામાં ગુરુપૂર્ણિમા અંતર્ગત ગુરુ વંદના કાર્યક્રમ ગોઠવવો અને ગુરુ વંદના કાર્યક્રમમાં વધુમાં વધુ શિક્ષકોને જોડવા તેની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ શિક્ષકોનો પ્રાણ પ્રશ્ન જૂની પેન્શન યોજના, જીપીએફ ખાતા ટ્રાન્સફર કરવા, શિક્ષણની ગુણવત્તા સુધારવા દરેક શિક્ષકો ભૂમિકા શું છે? તેની ઝાંખી આપી અને આવનારા સમયમાં સંગઠન દ્વારા શિક્ષકોના પ્રશ્નો ને હલ કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કટિબંધ છે એવી ખાત્રી આપી
ત્યારબાદ મોરબી જિલ્લાના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા સમાજમાં એક કાર્યકર્તા તરીકે આપણી શુ ભૂમિકા છે ?, આપણું શું કાર્ય છે ? તેની જીણવટ ભરી અને સચોટ માહિતી આપી. આવનારા સમયમાં મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ,કર્તવ્ય બોધ દિવસ અને બીજા આવનારા કાર્યક્રમમાં શિક્ષકોને જોડી સમાજને આગળ વધારવા માટે શિક્ષકોની શું ભૂમિકા છે તેની માહિતી આપી.
દરેક તાલુકાના કાર્યકર્તાઓએ પોતાના અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરી અને તેને ઉકેલવા માટે ગહન ચર્ચા કરવામાં આવી.
ત્યારબાદ કારોબારીની બેઠકને અંતે નિરવભાઈ બાવરવા જિલ્લા સહપ્રચાર મંત્રી દ્વારા કલ્યાણ મંત્ર કરી અને ત્યાં ઉપસ્થિત સંગઠનના દેવ દુર્લભ કાર્યકરો એ હળવો નાસ્તો કરી બેઠક ને પૂર્ણ કરવામાં આવી. એમ જિલ્લા સહ પ્રચાર મંત્રી નિરવભાઈ બાવરવાની યાદીમાં જણાવવામાં આવે છે.
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. પાલી કરમબેલી ગામમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક બાળકોમાં 9 મહિનાના જુડવા ભાઈઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. આ...