મોરબી: મોરબી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ પાસેથી ૨૦૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા દંડ ફટકાર્યો હતો.
દેશમાં તેમજ રાજ્યમાં પ્લાસ્ટિકના વેપાર પર પ્રતિબંધ મુકવા આવેલ છે તેમ છતા વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે મોરબી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ પર મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ કૃષ્ણસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પાલિકાના અધિકારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ પાસેથી આશરે ૨૦૦ કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને રૂ.૮૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અને આગામી દિવસોમાં પણ પાલીકા દ્વારા કાર્યવાહી કરવામાં આવવાની હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...