મોરબીમાં પાણીના વોકળામાં ડુબી જતાં સગીરનુ મોત

મોરબી: મોરબીના વાવડી રોડ પર આવેલ સતનામ ગૌશાળા પાછળ આવેલ પાણીના વોકળામાં ડુબી જતાં સગીરનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ માહીરભાઇ અતુલભાઇ ટીકળીયા ઉ.વ.૧૫ રહે. સુમતીનાથ સોસાયટી વાવડીરોડ મોરબી વાળાનુ મોત તા.૧૬/૧૧/ ૨૦૨૩ ના રોજ મોરબી વાવડીરોડ સતનામ ગૌશાળા પાછળ આવેલ પાણીના વોકળામા ન્હાવા જતા ડુબી જતા માહીરભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img